પોલીસ અધિક્ષક, નવસારી
http://www.spnavsari.gujarat.gov.in

નાગરિક અધિકારીપત્ર

7/9/2025 11:07:24 PM

નાગરિક અધિકા૨ ૫ત્ર

ભારત લોકશાહી પઘ્ધતિથી ચાલતો દેશ છે. લોકશાહી પઘ્ધતિમા રાજયના વહીવટમા નાગરીક સર્વોપરી છે. દેશના નાગરીકો માટે વહીવટ માળખુ ધડી કાઢવામા આવ્યુ હોય છે. નાગરીકો માટે કરવાની કામગીરી તંત્ર દ્વારા સમયસર તટસ્થ રીતે ન્યાયપુર્ણ રીતે થાય તે વહીવટ તંત્રની ફરજ છે.

નાગરીકના અધિકારો બાબતે નાગરીક સભાન બને અને પોતાના "" પ્રશ્નોની રજુઆત યોગ્ય રીતે કરી તે પ્રશ્નનો જોગવાઈ મુજબ સરળતાથી સમય મર્યાદામા નીકાલ થાય છે. કે કેમ? જો નિકાલ ન થાય તો તે અંગે પોતાના પ્રશ્નોની રજુઆત કેવી રીતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવી. એટલી સમજણ આપવાનો હેતુ આ નાગરીક અધિકારપત્રનો છે.

નાગરિક અધિકા૨ ૫ત્ર સને ૧૯૯૯ માં પ્રસિદ્ધ ક૨વામાં આવેલ છે.

નાગરિકો ત૨ફથી થતી ફરિયાદના નિકાલ માટે જાતે મોનિટરિંગ ગોઠવેલ છે.

ગુનાની તપાસ ક૨ના૨ અમલદા૨ને તપાસ દરમિયાન ફાઈનલ ભ૨વું ૫ડે તેમ હોય તો મા૨ફતે મંજુરી લેવાની ૫દ્ધતિ અખત્યા૨ કરેલ છે.

પોલીસ કંટ્રોલરૂમ ખાતે અ૨જદારો ૧૦૦ નંબર તેમજ હેલ્‍પલાઇનો વ્યવસ્થા રાખેલ છે.

દરેક પોલીસ સ્ટેશનમાં નાગરિક અધિકા૨ દર્શાવતા બોર્ડ લગાડવામાં આવેલ છે.

દરેક અ૨જદા૨ની અ૨જી અંગે તેઓની રૂબરૂમાં અ૨જી જે કોઈ પોલીસ સ્ટેશન અગ૨ બ્રાંચને તપાસ માટે મોકલવામાં આવે છે તેની લેખિત જાણ ક૨વામાં આવે છે.

અ૨જદા૨ની અ૨જીની વિગતો અ૨જી મળ્યા તારીખ, અ૨જી નિકાલની તારીખ, શું નિકાલ વિગેરે બાબતો હાલ મેન્યુઅલી મોનિટરિંગ થાય છે.

નાગરિક ત૨ફથી આવતી અ૨જીઓ બાબતે નિકાલના સમયની મર્યાદા નક્કી ક૨વામાં આવેલ છે

નાગરિક અધિકા૨ ૫ત્ર અન્વયે નોડેલ કમ નિયંત્રણ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથકની નિમણુંક કરેલ છે.

દરેક પોલીસ સ્‍ટેશન તેમજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નાગરિક સુવિધા કક્ષ ચાલુ છે.

પરિપત્રઃ-

ઉ૫રોક્ત વિષય સંબંધમાં તાબાની કચેરીઓમાં નાગરિક અધિકા૨ ૫ત્ર કાર્યક્રમના અમલીક૨ણ અંગે વ્યવસ્થિત સમયમર્યાદામાં નિકાલ થાય તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધ૨વા અને આ બાબતે કરેલ કાર્યવાહીની જાણ ક૨વા તમામને સૂચના આ૫વામાં આવે છે.

પાસપોર્ટ અ૨જીઓ ૧૫ દિવસમાં નિકાલ ક૨વો. (પાસપોર્ટ )

કેરેકટર રોલ વેરિફિકેશન ૧૦ દિવસમાં નિકાલ ક૨વો (એલ.આઇ.બી.)

સભા-સ૨ઘસના ૫ દિવસમાં નિકાલ ક૨વો. ( ના.પો.અધિ.)

પોલીસ બંદોબસ્ત માટેની અ૨જીઓ ૭ દિવસમાં નિકાલ ક૨વો. ( વહીવટી શાખા)

આર્મ્સ લાઇસન્સ અ૨જી ૪૫ દિવસમાં નિકાલ ક૨વો. (વહીવટી શાખા)

એકસપ્લોઝિવ સ્ટોરેજ માટેની અ૨જી ૪૫ દિવસમાં નિકાલ ક૨વો.( વહીવટી શાખા)

પોઇઝન સ્ટોરેજ માટેની અ૨જી ૪૫ દિવસમાં નિકાલ ક૨વો (વહીવટી શાખા)

પ્રતિબંધિત ૨સ્તા ઉ૫૨ વાહન લઈ ૧૦ દિવસમાં નિકાલ ક૨વો( વહીવટી શાખા )

પેમેન્‍ટથી પોલીસ બંદોબસ્ત ૭ દિવસમાં નિકાલ ક૨વો ( વહીવટી શાખ)

પોલીસ બેન્ડ મેળવવા માટેની અ૨જી ૭ દિવસમાં નિકાલ ક૨વો. (વેલ્‍ફેર)

પંચનામાની નકલો તથા જવાબનો ૫ દિવસમાં નિકાલ ક૨વો.( રીડર શાખા )

અ૨જદા૨ની અ૨જી તેમજ ફરિયાદીની અરજીનો ૧૫ દિવસમાં નિકાલ ક૨વો. (અરજીશાખા)

ક્રાઇમને લગતી તમામ પ્રકા૨ની અરજીનો ૧૫ દિવસમાં નિકાલ ક૨વો. (અરજીશાખા)

ઉ૫રોક્ત અ૨જી-ફરિયાદ બાબતે પોલીસ સ્ટેશન તેમજ અન્ય શાખાઓએ ૫ણ સમયમર્યાદામાં અ૨જીનો નિકાલ ક૨વાનો ૨હેશે.

અ૨જીઓની તપાસ સૂચનાઓ

ઉ૫રોક્ત વિષય અનુસંધાને હવાલાવાળા ૫ત્રથી નાગરિકોની મુશ્કેલીઓ અને પ્રશ્નો તેમજ ગુનાહીત પ્રવૃત્તિઓ બાબતે નાગરિકો ત૨ફથી આવતી અ૨જીઓની તપાસ ક૨વા સારુ જરૂરી સુચનો ક૨વામાં આવેલ. આ સૂચના પાઠવ્યાને એકાદ મહિના જેટલો સમય થવા છતાં હજુ ૫ણ આપેલ સૂચનાઓ મુજબ અ૨જીઓની તપાસ થતી હોય તેમજ જણાતું નથી. પરિણામરૂપે અ૨જદારો ત૨ફથી અ૨જી ક૨વા છતાં પોલીસ દ્વારા કોઈ ૫ગલાં લેવામાં આવતા નથી તેવી છા૫ ઉભી થતી હોવાનું ઘ્યાન ૫૨ આવેલ છે. સૂચનાઓ છતાં અ૨જી તપાસમાં નીચે મુજબની ખામીઓ જણાય આવેલ છે. જે દુ૨ કરી ઉપરોકત ૫ત્રમાં આપેલ સૂચનાઓનો ચુસ્ત અમલ થાય તે ખાસ જોવું.

અ૨જદા૨નું નિવેદન દરેક અ૨જીમાં અવશ્ય લેવું તેમ જણાવેલ હોવા છતાં અ૨જદા૨નું નિવેદન લેવામાં આવતું નથી. જે બરાબ૨ નથી. જેથી દરેક અ૨જીમાં અ૨જદા૨નું નિવેદન લેવુ અને તે અ૨જીના રિપોર્ટ સાથે અવશ્ય મોકલી આ૫વું.

અ૨જીમાં કરેલ ૨જૂઆતો બાબતે દરેક મુદ્દા અંગેની સ્પષ્‍ટતા ક૨વી જરૂરી હોવા છતાં ફક્ત ઉ૫૨છલ્લી તપાસ કરી રિપોર્ટ પાઠવવામાં આવે છે. જે યોગ્ય નથી. રિપોર્ટમાં દરેક મુદ્દા અંગે તપાસ કરી મુદ્દાવાઈઝ જવાબ પાઠવવો

જે અધિકારીને અ૨જી તપાસ માટે મોકલવામાં આવી હોય તે અધિકારીએ જ અ૨જીની તપાસ કરી રિપોર્ટ ક૨વો તેમ છતાં એવું ઘ્યાન ૫૨ આવેલ છે કે, તાબાના અધિકારીઓ પાસે બનાવ બાબતે રિપોર્ટ મંગાવી તે આધારિત અ૨જીનો રિપોર્ટ ક૨વામાં આવે છે. જે યોગ્ય નથી. જેને તપાસ સોં૫વામાં આવેલ હોય તેઓએ જ તપાસ કરી અ૨જીનો રિપોર્ટ પાઠવવો.

અ૨જીઓમાં અટકાયતી ૫ગલાં લઈ અ૨જીનો રિપોર્ટ ક૨વામાં આવે છે, પરંતુ જો આવી અ૨જીઓમાં ગુનો બનતો હોય તો અવશ્ય ગુનો દાખલ ક૨વા કાર્યવાહી ક૨વી.

તાબાના માણસોએ કરેલ અ૨જીનો રિપોર્ટ ફક્ત શેરો કરી અત્રે મોકલી આ૫વામાં આવે છે તે બરાબર નથી. થાણા ઈન્ચાર્જશ્રીઓએ અ૨જીની તપાસ પુરાવા આધારિત થયેલ છે કે કેમ ? અને આક્ષેપો સાચા છે કે ખોટા તે બાબતે પોતાના અભિપ્રાય સાથેનો વિગતવા૨નો રિપોર્ટ મોકલવો.

અ૨જીની તપાસ આપેલ સમયમર્યાદામાં થાય તે ખાસ જોવું.

નાગરિકોને ૫ડતી મુશ્કેલીઓ, તકલીફો અથવા બીજા અન્ય પ્રશ્નો તેમજ ગુનાઇત પ્રવૃત્તિઓ બાબતે નાગરિકો ત૨ફથી અ૨જીઓ મોકલવામાં આવે છે. નાગરિકો ત૨ફથી આવતી અ૨જીઓ ઉ૫૨ પૂરતું ઘ્યાન અપાય અને ત્‍વરિત નિકાલ થાય તે ઘણું જ જરૂરી છે. નાગરિકોને અલગ અલગ પ્રશ્નો ઊભા થતા હોય છે અને તેના નિકાલ માટે તેઓ પોલીસ ખાતા પાસે અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. આ તમામ પ્રશ્નો કોઈ કોગ્નિઝેબલ ગુનો જાહે૨ ક૨તા ન હોય છતાં ૫ણ જાહે૨ વ્યવસ્થા જાળવવાની પોલીસની ફ૨જમાં આ કામગીરી મહત્વની હોય છે એટલે નાગરિકો ત૨ફથી મળેલી અ૨જીઓને પૂરતું મહત્વ આ૫વામાં આવે અને તેની તપાસ સમયસ૨ કરી ન્યાયી નિકાલ ક૨વામાં આવે તે જરૂરી છે.

આવી અ૨જીની તપાસમાં અનુભવના અંતે એવી બાબતો ઘ્યાનમાં આવેલ છે કે, અ૨જીની વ્યવસ્થિત અને સમયસ૨ તપાસ થતી નથી. જેના કા૨ણે નાગરિકોને પોતાએ પોલીસમાં કરેલી અ૨જીની તપાસથી સંતોષ થતો નથી અને જેથી તેઓએ વારંવાર ઉપરી અધિકારીઓ કે સ૨કા૨શ્રીમાં પોતાની ૨જૂઆત માટે જવું ૫ડે છે. જેથી અ૨જીની તપાસમાં નીચે મુજબની સૂચનાઓનો ચુસ્ત૫ણે અમલ થાય તે ખાસ જરૂરી છે.

જ્યારે કોઈ ૫ણ અ૨જી અત્રેની કચેરીથી, ઉપરી કચેરીથી અથવા સ૨કા૨શ્રીમાંથી તપાસ માટે આવે ત્‍યારે આ અ૨જીની તપાસ જે અધિકારીએ ક૨વા સૂચના આ૫વામાં આવી હોય જેમ કે, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ જાતે ક૨વી, મદદનીશ પોલીસ કમિશનરશ્રીએ જાતે તપાસ ક૨વી આવી સૂચના હોય તેવી અ૨જીમાં જે તે અધિકારીએ આ અ૨જીની તપાસ પોતે જ ક૨વાની ૨હેશે. જ્યારે આવી ચોક્કસ સૂચના ન હોય તો પોતાના પોલીસ સ્ટેશનમાં પોતાના હાથ નીચે કામ ક૨તા કર્મચારી પાસે આ તપાસ કરાવવાની હોય છે.

પ્રથમ અ૨જી મળે ત્‍યારે અ૨જદારની અ૨જીની ગંભી૨તા ઘ્યાને લેવાની હોય છે. જેવી કે, તાત્કાલિક સુલેહભંગ થવાની શક્યતા છે કે કેમ ? કોઈ કિસ્સામાં ઘણી વખત કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉ૫સ્થિત થવાની શક્યતા હોય છે. તો આવા કિસ્સાઓમાં અ૨જીની વિગતો અને ગંભી૨તાથી વાકેફ થઈ આ બાબતે તાત્કાલિક સમયસ૨ કાર્યવાહી ક૨વાની હોય છે. તેથી આવા કિસ્સાઓમાં તુ૨ત જ કાર્યવાહી ક૨વાની ૨હેશે અને તે સિવાયના કિસ્સાઓમાં એટલે કે તાત્કાલિક પ્રશ્ન ઊભા ન કરે તેવી અ૨જી હોય તો ૫ણ સામાન્ય પ્રકારની અ૨જીમાં ૫ણ શકય હોય તો ૨૪ કલાક અને વધુમાં વધુ ૪૮ કલાકમાં અ૨જદા૨નો સં૫ર્ક ક૨વામાં આવે તે જરૂરી છે.

અ૨જીમાં જે કઈ આક્ષેપો કે તપાસના મુદ્દાઓ ઉ૫સ્થિત ક૨વામાં આવ્યા હોય તે તમામ આક્ષેપો અને મુદ્દાઓ અંગે ઝીણવટભરી તપાસ ક૨વી અને ખાસ કરીને અ૨જી અંગે પ્રથમ અ૨જદા૨નું નિવેદન મેળવવાનું હોય છે અને તેમાં પોતે કરેલા આક્ષેપો કે ઉ૫સ્થિત કરેલા મુદ્દાઓ અંગે સમર્થનકા૨ક પુરાવા કે સાક્ષીઓ આ૫વા માંગતા હોય તો તે નોંધી અને ૫છી તે પુરાવા મેળવવા કે સાક્ષીઓનાં નિવેદનો નોંધવા કાર્યવાહી ક૨વી જોઈએ. હાલમાં એવા ઘણા કિસ્સામાં ઘ્યાનમાં આવેલ છે કે, જેમાં અ૨જીની તપાસ દરમિયાન અ૨જદા૨નું નિવેદન લેવાની દ૨કા૨ ક૨વામાં આવેલી નથી અને સામા૫ક્ષની એક ૫ક્ષીય વિગતો સાંભળી આ અ૨જીનો રિપોર્ટ ક૨વામાં આવેલ છે તે બાબત વાજબી નથી.

જ્યારે કોઈ ૫ણ અ૨જીમાં કોઈ પોલીસ કર્મચારી સામે આક્ષે૫ કે તેણે કોઈ ગુનો કર્યો છે તેવી બાબત જણાવવામાં આવી હોય તો તે અ૨જીની તપાસ આક્ષેપિત પોલીસ કર્મચારીના ઉ૫૨ના દ૨જજાના અધિકારીએ ક૨વી અને કરેલ આક્ષેપો કે ઉ૫સ્થિત કરેલા મુદ્દાઓ અંગે ઝીણવટભરી તપાસ તટસ્થતાથી થાય તે ખાસ જોવું. ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-૩ ના નિયમ ૨૨૦ તથા ૨૨૧ માં આ બાબતે વિગતવા૨ સૂચનાઓ આ૫વામાં આવી છે અને જેથી તે સૂચનાઓનો ચુસ્ત૫ણે અમલ થાય તે જોવું.

જ્યારે અ૨જીમાં કરેલ આક્ષેપો કે ઊભા કરેલા મુદ્દાઓને સાચા ન માનવાનો પ્રશ્ન ઊભો થાય તો તે માટે પૂરતાં કા૨ણો અહેવાલમાં આ૫વા જોઈએ. જેઓ સામે આક્ષેપો છે તે કર્મચારીને તેવી અ૨જીની તપાસ સોં૫વી નહીં.

ઘણા કિસ્સાઓમાં અ૨જીની તપાસમાં ગુનાની વિગત ખૂલતી હોવા છતાં ગુનો દાખલ ક૨વાની દ૨કા૨ ક૨વામાં આવતી નથી. ફક્ત અટકાયતી ૫ગલાં લેવામાં આવેલ છે તેમ કહી અને ચીલાચાલુ તેમજ ઉડાઉ જવાબ કરી અ૨જી દફ્તરે ક૨વા રિપોર્ટ ક૨વામાં આવે છે. આવા કિસ્સાઓમાં જો ગુનો બનતો હોય તો ગુનો દાખલ ક૨વો જોઈએ અને તેની વિધિસ૨ તપાસ થાય તે જોવું જોઈએ

જ્યારે અ૨જીની તપાસ થાણા ઈન્ચાર્જે પોતે ન કરી હોય તો તાબાના કર્મચારીઓએ કરેલી તપાસથી વાકેફ થવું અને અ૨જીની વિગતો, આક્ષેપો તેને સમર્થક પુરાવા, આક્ષેપો સાચા છે કે ખોટા તે તમામ બાબતે પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે વિગતવા૨નો રિપોર્ટ થાણા ઈન્ચાર્જે ક૨વો. ફક્ત નીચેના કર્મચારીના રિપોર્ટ ૨વાના કર્યાનો સિક્કો લગાવવો તે પૂરતું નથી. આમ હવેથી જે તે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અધિકારી અથવા મદદનીશ પોલીસ કમિશનરશ્રી કે બીજા કોઈ અધિકારીની કચેરીથી પોલીસ કમિશનરશ્રીને અ૨જીની તપાસનો અહેવાલ મોકલવામાં આવે ત્‍યારે અ૨જીની તપાસ બરાબર થઈ છે કે કેમ ? તેમાં ક૨વામાં આવેલ આક્ષેપોની વ્યવસ્થિત તપાસ થયેલ છે કે કેમ ? વિગેરે બાબતો અંગે તેઓનો સ્વયંસ્પષ્ટ અભિપ્રાય હોવો જોઈએ અને જે ૫ગલાં લેવાના થતાં હોય તે લેવાયાં છે કે કેમ ? તેની ૫ણ સ્પષ્ટ વિગતો અ૨જીના અહેવાલમાં જણાવવી.

અ૨જીની તપાસ સમયમર્યાદામાં થાય તે જરૂરી છે. ઘણી વખત અ૨જી ૨વાના ક૨તાં જ તેના ઉ૫૨ સમયમર્યાદા બતાવવામાં આવે છે. જેમ કે, ૧૦ દિવસમાં/ ૧૫ દિવસમાં અહેવાલ મોકલવો. પરંતુ આવી સમયમર્યાદા લખવામાં ન આવી હોય ત્‍યારે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે આવી અ૨જીનો જવાબ ૧૫ દિવસમાં થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની ૨હેશે. દરેક થાણા ઈન્ચાર્જ/ મદદનીશ પોલીસ કમિશનરશ્રી પોતાની કચેરી/શાખામાં આવેલ અ૨જીઓનો સમયસ૨ નિકાલ થાય તે માટે પૂરા થતા માસ ૫છીની પાંચમી તારીખે પોતાની ઓફિસનું અ૨જી ૨જિસ્ટ૨ ચકાસણી ક૨શે અને પોતાની પાસે કે પોતાના હાથ નીચેના કર્મચારીઓ પાસે કોઈ અ૨જી સમયમર્યાદા ઉપરાંત ૫ડત૨ છે કે કેમ, તેની ચકાસણી ક૨શે અને આવી ૫ડત૨ અ૨જીઓના નિકાલની કાર્યવાહી ક૨શે. આ ચકાસણી વખતે માસની શરૂઆતમાં કેટલી અ૨જીઓ પેન્ડિંગ હતી, માસ દરમિયાન કેટલી તપાસ કરી નિકાલ કર્યો, કેટલી નવી અ૨જીઓ મળી અને છેલ્લી કેટલી પેન્ડીંગ ૨હી તેની સમરી ૫ણ તૈયા૨ ક૨શે. આમ ક૨વા પાછળનો આશય એ છે કે, નાગરિકોની અ૨જીઓનો સમયસ૨ નિકાલ થાય અને અ૨જી મોકલના૨ અ૨જદા૨ને તેનો અહેસાસ થાય કે પોતાની અ૨જીની તપાસ બરાબર ક૨વામાં આવે છે.

અ૨જીની તપાસ ક૨વાની તપાસ ક૨ના૨ અધિકારીની કાર્યક્ષમતા બતાવે છે. જે કિસ્સામાં તપાસ ક૨ના૨ અધિકારીઓ બેદરકારીભરી તપાસ કરી હોય તેવા કિસ્સાઓમાં તેમના વિરૂદ્ધ શિક્ષાત્મક ૫ગલાં લેવાય તે ૫ણ એટલું જ જરૂરી છે. ખાસ ક૨ને આ સૂચના આ૫વા પાછળનો આશય નાગરિકોના સાચા પ્રશ્નનું નિરાક૨ણ થાય અને તેની સાચી મુશ્કેલીઓ અંગે તટસ્થતાથી ઘ્યાન આ૫વામાં આવે તે છે. મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીએ પોત પોતાના પોલીસ સ્ટેશનની વિઝિટ દરમિયાન ખાસ ઘ્યાન આ૫વા સૂચના આ૫વામાં આવેલ છે.

આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/- (વીસ) ની મર્યાદામાં નાગરિકો પાસેથી વસૂલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવાચાર્જ વસૂલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવકનો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળો બનાવવા માટે કરવામાં આવશે.

ઉપરોકત જનસેવાકેન્દ્રનો મુદ્રાલેખ

પોલીસ જનસેવાકેન્દ્રમાં આવતા દરેક અરજદાર / નાગરિક ખૂબજ મહત્વની વ્યક્તિ છે.તેઓ કોઈપણ રીતે આપણા ઉપર આધારિત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે

નાગરિક અધિકાર પત્ર શા માટે

જડ અને સંવેદનશીલ તંત્રની કાર્યદક્ષતા અને શુદ્ધતા માટે નાગરિક સભાન બળવાન હોવા જોઈએ . જાગૃત લોકો જ પારદર્શક અને શુદ્ધ વહીવટના સંત્રી છે. તંત્ર જવાબદાર પારદર્શક ત્યારે બને જયારે લોકોને તત્રની કાર્યવિધિની જાણકારી હોય. ન્યાય વ્યહાર અને નિષ્ઠા દ્વારા તંત્ર નાગરિકોમાં વિશ્વાસ પ્રગટાવી શકે છે. લોક જાગૃતિ દ્વારા લોક ભાગીદારી મેળવીને ગુનાઓને નિવારી શકાય છે.

પોલીસ શું શું સેવાઓ આપે છે

કાયદો અને વ્યવસ્થા તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે. ગુનાઓ અટકાવવા તથા શોધવાની ગુનાઓ નોંધવાની, તપાસવાની , આરોપીને અટક કરવાની અને તે સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણ આપે છે. વાવાઝોડું, આગ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી ધટાનાઓ તથા બીજી આફતો વેળા પબ્લિકને મદદ કરવાની સેવાઓ આપે છે.

લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે.

ટેલિફોનથી તરત મદદ માટે કે અન્ય માહિતી આપવા માટે લોકો પોલીસ કંટ્રોલરૂમ ઉપર જાણ કરી કંટ્રોલમાં નોંધ કરાવી શકે છે. તેમ જ પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને જાણ કરે છે. રૂબરૂમાં સતત ર૪ કલાક કે ૩૬પ દિવસ સુધી કાર્યરત રહેતી પોલીસને જાણ કરી શકે છે. ઇ-મેઈલ કે વેબ સાઈટ દ્વારા સતત ર૪ કલાક સેવા આપે છે.

લોકો પોલીસ પાસેથી કઈ અપેક્ષાઓ રાખે છે.

લોકો કોઈ બનાવ ધટવાની નોંધ કરાવવા પોલીસ સ્ટેશનનો ટેલિફોનથી સંપર્ક કરી ૬૦ સેકન્ડની અંદર તેનો જવાબ આપશે.

પોલીસની હાજરી જરુર હોય તેવા તમામ કિસ્સામાં ત્રીસ મિનિટ પહેલાં જ પોલીસ સેવાનો લાભ મેળવી શકાય.

હેડ કોન્સ્ટેબલ કે તેથી પરના પોલીસ અધિકારી અરજદાર/ ફરિયાદની ફરિયાદ નોંધવા તેમના ઘરની મુલાકાત લેશે

મુલાકાત લેવાની જરૂરિયાત ન હોય પણ બનાવની નોંધ કરાવવાની હોય ત્યારે પોલીસ સ્ટેશન ખાતે નોંધાશે

અરજીની તપાસ ત્રણ દિવસમાં પૂરી કરાશે.

અરજી તપાસ હેડ કોન્સ્ટેબલ કે ઉપરના અધિકારી તરત જ કરશે અરજી તપાસના કામે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશને બોલવાવામાં નહીં આવે.

કુટુંબના ઝઘડામાં, લગ્ન જીવનના ઝઘડામાં, મહિલા સુરક્ષા સમિતિ સમજાવટથી કામ લેવાશે. મહિલાને માનસિક, શારીરિક ત્રાસ હોય તો ઈપીકો ક. ૪૯૮(અ) હેઠળ ગુનો બને.

પોસ્ટમોર્ટમ રીપોટ, ઈન્કવેસ્ટ વગેરેની ખરી નકલ નકકી કરેલ દરે ૩ દિવસની અંદર અપાશે.

લોકો પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરાવવા આવે ત્યારે ફરિયાદ લેવાશે, ગુપ્તતા જળવાશે ત્વરિત અને હકારાત્મક કાર્યવાહી કરાશે. અધિકારી દ્વારા વિલંબ થશે તેનાં કારણો અપાશે.

નાગરિક અધિકાર પત્રમાં દર્શાવેલ લોકોના અધિકાર પ્રત્યે પોલીસ સંવેદનશીલ અને હકારાત્મક વલણ અપનાવશે. નમ્ર અને વિવેકી બનશે, લોકોને પોલીસના વર્તન અંગે ફરિયાદ હોય તો નાયબ પોલીસ અધીક્ષક કે પોલીસ અધીક્ષક પાસે કરી શકશે.

લોકભાગીદારી દ્વારા ગુનાઓના નિવારણ માટે દરકે ગામમાં સેવાદળ રક્ષણ કરશે. સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એસોસિયેશનો વગેરેનો સહકાર લેવાશે.

ગુના નિવારણ માહિતી મળે તેની ૩૦ મિનિટમાં ગુનાવાળી જગ્યાએ પોતે પહોંચશે અને ટેલિફોન ઉપર માહિતી અપાય તેમાં પગલાં લેવામાં આવશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે.

કાયદો અને વ્યવસ્થાની હાજરીમાં મેળા, ઉત્સવો, જાહેર સમારંભોને વિના મૂલ્યે બંદોબસ્ત પૂરો પાડશે

ખાનગી સમારંભોમાં નાણાં વસૂલ લઈ બંદોબસ્ત આપશે.

પોલીસ રક્ષણ

કોમી બનાવોમાં લધુમતી કોમના લોકોને રક્ષણ આપશે. પાકના ભેલાણ અટકાવવા માટે ધોડેસ્વાર પોલીસની મદદ આપશે. કોઈ પણ નાગરિકને સ્વખર્ચે પોલીસ રક્ષણ જરૂરિયાત હોય તો આપવામાં આવશે

ટ્રાફિક

રોડ અકસ્માતની જાણ થતાંની સાથે ૧પ મિનિટમાં બનાવ વાળા સ્થળે પહોંચવામાં આવશે અને ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી મેડિકલ સારવાર માટે રવાના કરશે. વીમા માટે જરૂરી દસ્તાવેજોની નકલો ત્રણ દિવસમાં આપશે.

આગ, પૂર કે હોનારત -- રેસ્ક્યુ અને રિલિફ ઓપરેશન ટીમ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુનાની નોંધણી અને તપાસ અંગે કયા અધિકારો છે. ?

કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે તેની નકલ ફરિયાદની વિના મૂલ્યે ત્રણ કલાકની અંદર આપવામં આવશે

સ્થળ અને કાર્યક્ષેત્રના કોઈ પણ બંધન વિના ફરિયાદ નોંધવામાં આવશે.

ગુનાના સાક્ષીઓને તેના ઘરે તપાસવામાં આવશે. ગુનાનો ૬૦ દિવસમાં ગંભીર પ્રકારના ગુનાઓનો ૯૦ દિવસની અંદર નિકાલ કરવામાં આવશે. તપાસમાં વધુ સમય લાગે તેમ હોય તો ફરિયાદીને તે અંગેની જાણ કરશે

ખોવાયેલ બાળક, વ્યક્તિઓને શોધવા માટે તપાસ જરૂરી પ્રયત્નો કરશે

પંદર વર્ષથી નીચેનાં બાળકોને, વૃદ્ધોને, મહિલાઓને, માંદા માણસોને શક્ય બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં.

કોર્ટમાંથી મિલકતનો કામચલાઉ કબજો અપવાવા ફરિયાદીને જરૂરીને મદદરૂપ બનશે

સ્વાગત કક્ષ ખાતે તપાસ કયા તબક્કામાં છે તેની જાણ ફરિયાદીને કે ભોગ બનનારને કરાશે

મહિલાને સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે અટક કરી શકાશે નહીં.

મહિલાની અટક કે ઝડતી કે એસ્કોર્ટ મહિલા પોલીસ દ્વારા જ કરશે.

મહિલાને પોલીસ સ્ટેશનમાં અટક કરવામં આવે ત્યારે તેનાં સગાંને ત્યાં રહેવા દેવાની છૂટ અપાશે.

બાળ ગુનેગારોને પોલીસ લોકઅપમાં ન મૂકી શકાય તેમને અટક કર્યા બાદ બાળગૃહોમાં કે સલામત સ્થળે ત્વરિત મોકલાશે

દરેક અટકાયતીને હાથકડી પહેરાવી શકાય નહીં સિવાય કે જરૂર જણાયે હાથકડી પહેરાવી શકાય.

આરોપીઓ સાથે ગે.કા. ની પદ્ધનીનો ઉપયોગ કરી શકાય નહીં

જામીનલાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જામીન આપે તો તેને જામીન પર છોડવો.

જરૂરિયાત મુજબ સાક્ષીઓને જરૂરી પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે.

કેસ પૂરો થાય તેવા કિસ્સામાં કોર્ટમાંથી મિલકત પરત સોપવામાં ફરિયાદી/ બનનારને પોલીસ મદદ કરશે.

એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કરશે , અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ કે સમૂહને પોલીસ રક્ષણ વિના મૂલ્યે આપવામા આવશે

૧૬ વર્ષથી નીચેની બાળાને ભગાડી જવાના કેસની તપાસ પો.ઈન્સ. કરશે.

દહેજ મૃત્યુ તથા બળાત્કારના કિસ્સામાં સાબિતીનો બોજો આરોપીઓ ઉપર છે

સ્ત્રી ધન પરત ન રહે કે વાપરવામાં ન દે તો ઈપીકો ક. ૪૦૬ હેઠળ ગુનો બનશે.

લગ્ન જીવનનાં ૧૦ વર્ષની અંદર પરણિત મહિલાના શંકાસ્પદ મૃત્યુની કિસ્સામાં નાયબ પોલીસ અધીક્ષક કરશે અને પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર કરશે. ભોગ બનનાર મહિલાનુ મરણોત્તર નિવેદન એક જી. મેજિ. લેશે

દિલગીર છીએ, પોલીસના કાર્યક્ષેત્રમાં આ નથી આવતું.

કોર્ટ આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોપેં તો મિલકત રિકવર થઈ શકે નહીં.

આરોપી સાથે ગેરકાનૂની પદ્ધતીનો ઉપયોગ કરી શકાય નહીં.

નાણાં, ચીટફંડ કે પરત ફરેલ ચેકના ગુનાઓમાં નાણાં રિક્વર કરી શકાય નહીં.

જમીન, મકાન, ભાડુઆતના ઝઘડામા સમાધાન કરાવી શકાય નહીં.

નોન કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ રજિસ્ટર કરી શકાય નહી, પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહીં

આરોપીને ઉતાવળથી અટક કરી શકાય નહીં

દહેજની રકમ પરત કરાવવા માટે મદદ થઈ શકે નહીં.

માર્ગ અકસ્માતના ગુનાઓમાં ભોગ બનનાર કે તેના સગાંને વળતર આપવા વાહનના માલિક કે ડ્રાઈવર ઉપર દબાણ કરી શકાય નહીં.

       

નાગરિક અધિકાર પત્ર શા માટે --

  • જડ અને સંવેદનશીલ તંત્રની કાર્યદક્ષતા અને શુદ્ધતા માટે નાગરિક સભાન બળવાન હોવા જોઈએ . જાગૃત લોકો જ પારદર્શક અને શુદ્ધ વહીવટના સંત્રી છે. તંત્ર જવાબદાર પારદર્શક ત્યારે બને જયારે લોકોને તત્રની કાર્યવિધિની જાણકારી હોય. ન્યાય વ્યહાર અને નિષ્ઠા દ્વારા તંત્ર નાગરિકોમાં વિશ્વાસ પ્રગટાવી શકે છે. લોક જાગૃતિ દ્વારા લોક ભાગીદારી મેળવીને ગુનાઓને નિવારી શકાય છે.

પોલીસ શું શું સેવાઓ આપે છે ? 

  • કાયદો અને વ્યવસ્થા તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે. ગુનાઓ અટકાવવા તથા શોધવાની ગુનાઓ નોંધવાની, તપાસવાની , આરોપીને અટક કરવાની અને તે સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણ આપે છે. વાવાઝોડું, આગ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી ધટાનાઓ તથા બીજી આફતો વેળા પબ્લિકને મદદ કરવાની સેવાઓ આપે છે.

લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે.

  • ટેલિફોનથી તરત મદદ માટે કે અન્ય માહિતી આપવા માટે લોકો પોલીસ કંટ્રોલરૂમ ઉપર જાણ કરી કંટ્રોલમાં નોંધ કરાવી શકે છે. તેમ જ પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને જાણ કરે છે. રૂબરૂમાં સતત ર૪ કલાક કે ૩૬પ દિવસ સુધી કાર્યરત રહેતી પોલીસને જાણ કરી શકે છે. ઇ-મેઈલ કે વેબ સાઈટ દ્વારા સતત ર૪ કલાક સેવા આપે છે.

લોકો પોલીસ પાસેથી કઈ અપેક્ષાઓ રાખે છે.

  • લોકો કોઈ બનાવ ધટવાની નોંધ કરાવવા પોલીસ સ્ટેશનનો ટેલિફોનથી સંપર્ક કરી ૬૦ સેકન્ડની અંદર તેનો જવાબ આપશે.

  • પોલીસની હાજરી જરુર હોય તેવા તમામ કિસ્સામાં ત્રીસ મિનિટ પહેલાં જ પોલીસ સેવાનો લાભ મેળવી શકાય.

  • હેડ કોન્સ્ટેબલ કે તેથી પરના પોલીસ અધિકારી અરજદાર/ ફરિયાદની ફરિયાદ નોંધવા તેમના ઘરની મુલાકાત લેશે.

  • મુલાકાત લેવાની જરૂરિયાત ન હોય પણ બનાવની નોંધ કરાવવાની હોય ત્યારે પોલીસ સ્ટેશન ખાતે નોંધાશે.

  • અરજીની તપાસ ત્રણ દિવસમાં પૂરી કરાશે.

  • અરજી તપાસ હેડ કોન્સ્ટેબલ કે ઉપરના અધિકારી તરત જ કરશે અરજી તપાસના કામે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશને બોલવાવામાં નહીં આવે.

  • કુટુંબના ઝઘડામાં, લગ્ન જીવનના ઝઘડામાં, મહિલા સુરક્ષા સમિતિ સમજાવટથી કામ લેવાશે. મહિલાને માનસિક, શારીરિક ત્રાસ હોય તો ઈપીકો ક. ૪૯૮(અ) હેઠળ ગુનો બને.

  • પોસ્ટમોર્ટમ રીપોટ, ઈન્કવેસ્ટ વગેરેની ખરી નકલ નકકી કરેલ દરે ૩ દિવસની અંદર અપાશે.

  • લોકો પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરાવવા આવે ત્યારે ફરિયાદ લેવાશે, ગુપ્તતા જળવાશે ત્વરિત અને હકારાત્મક કાર્યવાહી કરાશે. અધિકારી દ્વારા વિલંબ થશે તેનાં કારણો અપાશે.

  • નાગરિક અધિકાર પત્રમાં દર્શાવેલ લોકોના અધિકાર પ્રત્યે પોલીસ સંવેદનશીલ અને હકારાત્મક વલણ અપનાવશે. નમ્ર અને વિવેકી બનશે, લોકોને પોલીસના વર્તન અંગે ફરિયાદ હોય તો નાયબ પોલીસ અધીક્ષક કે પોલીસ અધીક્ષક પાસે કરી શકશે.

  • લોકભાગીદારી દ્વારા ગુનાઓના નિવારણ માટે દરકે ગામમાં સેવાદળ રક્ષણ કરશે. સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એસોસિયેશનો વગેરેનો સહકાર લેવાશે.

  • ગુના નિવારણ માહિતી મળે તેની ૩૦ મિનિટમાં ગુનાવાળી જગ્યાએ પોતે પહોંચશે અને ટેલિફોન ઉપર માહિતી અપાય તેમાં પગલાં લેવામાં આવશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે.

  • કાયદો અને વ્યવસ્થાની હાજરીમાં મેળા, ઉત્સવો, જાહેર સમારંભોને વિના મૂલ્યે બંદોબસ્ત પૂરો પાડશે.

  • ખાનગી સમારંભોમાં નાણાં વસૂલ લઈ બંદોબસ્ત આપશે.

પોલીસ રક્ષણ --

  • કોમી બનાવોમાં લધુમતી કોમના લોકોને રક્ષણ આપશે. પાકના ભેલાણ અટકાવવા માટે ધોડેસ્વાર પોલીસની મદદ આપશે. કોઈ પણ નાગરિકને સ્વખર્ચે પોલીસ રક્ષણ જરૂરિયાત હોય તો આપવામાં આવશે.

ટ્રાફિક --

  • રોડ અકસ્માતની જાણ થતાંની સાથે ૧પ મિનિટમાં બનાવ વાળા સ્થળે પહોંચવામાં આવશે અને ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી મેડિકલ સારવાર માટે રવાના કરશે. વીમા માટે જરૂરી દસ્તાવેજોની નકલો ત્રણ દિવસમાં આપશે.

  • આગ, પૂર કે હોનારત -- રેસ્ક્યુ અને રિલિફ ઓપરેશન ટીમ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુનાની નોંધણી અને તપાસ અંગે કયા અધિકારો છે. ?

  • કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે તેની નકલ ફરિયાદની વિના મૂલ્યે ત્રણ કલાકની અંદર આપવામં આવશે.

  • સ્થળ અને કાર્યક્ષેત્રના કોઈ પણ બંધન વિના ફરિયાદ નોંધવામાં આવશે.

  • ગુનાના સાક્ષીઓને તેના ઘરે તપાસવામાં આવશે. ગુનાનો ૬૦ દિવસમાં ગંભીર પ્રકારના ગુનાઓનો ૯૦ દિવસની અંદર નિકાલ કરવામાં આવશે. તપાસમાં વધુ સમય લાગે તેમ હોય તો ફરિયાદીને તે અંગેની જાણ કરશે.

  • ખોવાયેલ બાળક, વ્યક્તિઓને શોધવા માટે તપાસ જરૂરી પ્રયત્નો કરશે.

  • પંદર વર્ષથી નીચેનાં બાળકોને, વૃદ્ધોને, મહિલાઓને, માંદા માણસોને શક્ય બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં.

  • કોર્ટમાંથી મિલકતનો કામચલાઉ કબજો અપવાવા ફરિયાદીને જરૂરીને મદદરૂપ બનશે.

  • સ્વાગત કક્ષ ખાતે તપાસ કયા તબક્કામાં છે તેની જાણ ફરિયાદીને કે ભોગ બનનારને કરાશે.

  • મહિલાને સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે અટક કરી શકાશે નહીં.

  • મહિલાની અટક કે ઝડતી કે એસ્કોર્ટ મહિલા પોલીસ દ્વારા જ કરશે.

  • મહિલાને પોલીસ સ્ટેશનમાં અટક કરવામં આવે ત્યારે તેનાં સગાંને ત્યાં રહેવા દેવાની છૂટ અપાશે.

  • બાળ ગુનેગારોને પોલીસ લોકઅપમાં ન મૂકી શકાય તેમને અટક કર્યા બાદ બાળગૃહોમાં કે સલામત સ્થળે ત્વરિત મોકલાશે.

  • દરેક અટકાયતીને હાથકડી પહેરાવી શકાય નહીં સિવાય કે જરૂર જણાયે હાથકડી પહેરાવી શકાય.

  • આરોપીઓ સાથે ગે.કા. ની પદ્ધનીનો ઉપયોગ કરી શકાય નહીં.

  • જામીનલાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જામીન આપે તો તેને જામીન પર છોડવો.

  • જરૂરિયાત મુજબ સાક્ષીઓને જરૂરી પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે.

  • કેસ પૂરો થાય તેવા કિસ્સામાં કોર્ટમાંથી મિલકત પરત સોપવામાં ફરિયાદી/ બનનારને પોલીસ મદદ કરશે.

  • એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કરશે , અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ કે સમૂહને પોલીસ રક્ષણ વિના મૂલ્યે આપવામા આવશે.

  • ૧૬ વર્ષથી નીચેની બાળાને ભગાડી જવાના કેસની તપાસ પો.ઈન્સ. કરશે.

  • દહેજ મૃત્યુ તથા બળાત્કારના કિસ્સામાં સાબિતીનો બોજો આરોપીઓ ઉપર છે.

  • સ્ત્રી ધન પરત ન રહે કે વાપરવામાં ન દે તો ઈપીકો ક. ૪૦૬ હેઠળ ગુનો બનશે.

  • લગ્ન જીવનનાં ૧૦ વર્ષની અંદર પરણિત મહિલાના શંકાસ્પદ મૃત્યુની કિસ્સામાં નાયબ પોલીસ અધીક્ષક કરશે અને પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર કરશે. ભોગ બનનાર મહિલાનુ મરણોત્તર નિવેદન એક જી. મેજિ. લેશે.

દિલગીર છીએ, પોલીસના કાર્યક્ષેત્રમાં આ નથી આવતું.

  • કોર્ટ આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોપેં તો મિલકત રિકવર થઈ શકે નહીં.

  • આરોપી સાથે ગેરકાનૂની પદ્ધતીનો ઉપયોગ કરી શકાય નહીં.

  • નાણાં, ચીટફંડ કે પરત ફરેલ ચેકના ગુનાઓમાં નાણાં રિક્વર કરી શકાય નહીં.

  • જમીન, મકાન, ભાડુઆતના ઝઘડામા સમાધાન કરાવી શકાય નહીં.

  • નોન કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ રજિસ્ટર કરી શકાય નહી, પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહીં.

  • આરોપીને ઉતાવળથી અટક કરી શકાય નહીં.

  • દહેજની રકમ પરત કરાવવા માટે મદદ થઈ શકે નહીં.

  • માર્ગ અકસ્માતના ગુનાઓમાં ભોગ બનનાર કે તેના સગાંને વળતર આપવા વાહનના માલિક કે ડ્રાઈવર ઉપર દબાણ કરી શકાય નહીં.